Home Bharuch વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા ભાજપા દ્વારા ઝાડેશ્વર ખાતેથી...

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા ભાજપા દ્વારા ઝાડેશ્વર ખાતેથી ભર વરસાદમાં રેલી નીકળી

0

ભરૂચમાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભાજપા દ્વારા ઝાડેશ્વર ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના મેનેજીંગ ડિરેકટર અજયસિંહ રણાએ, જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવા, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, યતીન પટેલ, જયરાજસિંહ તથા આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી રેલીનો વરસતા વરસાદમાં શુભારંભ કરાવ્યો

જય આદિવાસીના નારા સાથે ઝાડેશ્વરથી વાજતે ગાજતે શરૂ થયેલ આદિવાસી રેલી તવરા, કડોદ, શુકલતીર્થ સહિત ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. રેલીને પગલે ઝાડેશ્વર રોડ, ચોકડી અને હાઇવે ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version