Published By : Parul Patel
ગુજરાતી તહેવાર અને એના અલગ રંગ રૂપ…આ તહેવારને ઉજવવા મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરતીનો કાર્યક્રમ ભરૂચ સ્થિત લલ્લુ ભાઈ ચકલામાં રાખવામાં આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદના આમંત્રણમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર શ્રી નરેશભાઈ ઠક્કર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી દિવ્યેશભાઈ પટેલ, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ હરિયાણી, ભરૂચ જિલ્લા ગુજરાત સમાચારના પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ભાજપના સિનિયર આગેવાન શંકરભાઈ ગાંધી અને વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મંત્રી અજયભાઈ વ્યાસ, અને કૌશિકભાઇ જોશી હાજર રહ્યાં હતા.

આ મહોત્સવમાં તમામ આમંત્રિત મહેમાનો સાથે સ્થાનિક ભાવિક ભક્તોએ પણ આરતી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.