Published By : Disha Trivedi
સુગર ત્યારે થાય છે જ્યારે કાં તો સ્વાદુપિંડ આપણા શરીરમાં યોગ્ય રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા આપણા શરીરના કોષો તે ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી.
અનિયમિત જીવનશૈલી અને ખોટી ખાવા-પીવાની આદતોને કારણે થતા રોગોમાં સુગર પણ એક છે. જો તમે તેનાથી પરેશાન છો, તો આ ઘરેલું ઉપાય તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
કારેલાના રસમાં અડધું લીંબુ, એક ચપટી કાળા મરી અને સ્વાદ મુજબ મીઠું મેળવીને અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર બીજા દિવસે પીવાથી સુગરમાં રાહત મળે છે.
બદામને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવાથી સુગરમાં ફાયદો થાય છે.
જામફળ પર કાળું મીઠું (સિંધવ મીઠું) છાંટીને ખાવાથી સુગરમાં ફાયદો થાય છે.
દૂધ અને ખાંડ વગર કોફીનું સેવન કરવાથી સુગરમાં રાહત મળે છે.
10 મિલિગ્રામ આમળાનો રસ એક ચપટી હળદર પાવડરમાં ભેળવીને દિવસમાં બે વાર પીવાથી સુગર હેરાન કરતું નથી.