Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસાળંગપુરના દાદાના દર્શન સાળંગપુરથી 7 કિમી દુર હશો તો પણ થશે….

સાળંગપુરના દાદાના દર્શન સાળંગપુરથી 7 કિમી દુર હશો તો પણ થશે….

એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે આગામી દિવસોમાં’કિંગ ઓફ સાળંગપુર’ના નામથી પણ ઓળખાશે. આવતી દિવાળી સુધીમાં તમે સાળંગપુરના દાદાના દર્શન સાળંગપુરથી 7 કિમી દુર હશો તો પણ તેના દર્શન કરી શકશો. સાળંગપુરના દાદાની મૂર્તી સ્થાપિત થયા બાદ સાળંગપુરની આખી કાયા પલટાઈ જશે. સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જેથી 7 કિમી દુરથી પણ દાદાના દર્શન થઈ શકશે.આ મૂર્તિ પંચધાતુની બનશે અને હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તા આકાર પામી રહી છે.

આ મૂર્તિનો વજન 30 હજાર કિલોહશે.આ મંદિર કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળનાજ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે. – 7 કિલોમીટર દૂરથી દેખાશે આ મૂર્તિ – કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે.પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે – 3થી 4 સ્ટેપ્સમાં મૂર્તિ લગાવવામાં આવશે. દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે – દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવશે. – એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.


આમ સાળંગપુરના વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ભક્તોને થોડા જ દિવસોમાં નવું નજરાણું જોવા મળશે.તમનેજણાવી દયે કે મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે આ મૂર્તિ બનાવી છે.આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આચાર્ય રાકેશપ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!