Published by : Rana Kajal
આવનારા દિવસોમાં પાકિસ્તાન તરફની દિશામાંથી કાળી આંધી આવશે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, મે માસમાં ગરમી ન પડે તો ચોમાસા પર અસર પડી શકે છે. ગુજરાતના ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે. સાથે જ વરસાદના આગમન ની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે, 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ, અંબાલાલે જણાવ્યું છે કે, વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં આંધીનો પ્રકોપ ઉતરી શકે છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આંધીની ગુજરાતમાં અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના મતે, એપ્રિલના અંત અને મેની શરૂઆત સુધી આંધી ધમરોળશે. 20 એપ્રિલ સુધી આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે છે. 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. જ્યારે 25, 26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાથેજ જણાવાયું છે કે ખેડૂતોને સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે, હજુ માવઠું આવી રહ્યું છે. અંબાલાલ અનુસાર, 20મી સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. વારંવાર આંધીથી બાગાયતી પાકોને અસર થઈ શકે છે. આવનાર 25 એપ્રિલથી 2 મે સુધી ‘કાળી આંધી’નો પ્રકોપ રહેશે. ‘કાળી આંધી’ પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ‘કાળી આંધી’ ફરી શકે છે. જ્યારે દિવેલા, બાગાયતી પાકો, કેરીના પાકને નુકસાન થઈ શકે છે.