Published By : Disha PJB
એક માતા આટલી હદે ક્રૂર કઈ રીતે હોઈ શકે ? આ વાત સુરતના તમામ લોકો કહી રહ્યા છે, કારણ કે એક માતાએ પોતાના જ બાળકનો જીવ લીધો છે. સુરતની આ માતાએ પોતાના બાળકની હત્યા કરી નાખી છે. પ્રેમી સાથે લગ્ન કરવા માટે માતાએ બે વર્ષના માસુમ દીકરાની હત્યા કરી છે.
બાળકની હત્યા કર્યા બાદ બાળક ગુમ થઈ ગયો છે તેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી જ્યારે પોલીસને શંકા ગઈ તો પોલીસને પણ આ માતાએ ચાર દિવસ સુધી ગુમરાહ કર્યા. કડક પૂછપરછ બાદ આખરે આ ક્રુર માતાએ સ્વીકાર કર્યું છે કે તેણે જ પોતાના બાળકની હત્યા કરી છે. એટલું જ નહીં બાળકની હત્યા કરવા પહેલાં તેને દ્વિશ્યમ ફિલ્મ જોઈ હતી જેનાથી તેને હત્યા કરવા માટે વિચાર આવ્યો હતો.
આ બાબતે સુરત પોલીસના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન પરથી તેના બાળક ગુમ થઈ ગયો છે. ત્યાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજના આધારે અમે તપાસ શરૂ કરી પરંતુ ક્યાંક પણ મહિલા કે બાળક જોવા મળ્યો નથી. મહિલા જે રીતે નિવેદન આપી રહી હતી તેનાથી શંકા ગઈ કે આરોપી મહિલા હોઈ શકે છે તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા તેને જણાવ્યું હતું કે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ પ્રેમીએ કહ્યું હતું કે તે તેના બાળકને સ્વીકાર કરશે નહીં જેથી તેણે પોતાના બાળકની હત્યા કરી નાખી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, પુત્રની હત્યા કર્યા બાદ તેણે પોલીસને જણાવ્યું હતું કે પુત્ર ગુમ થઈ ગયો છે. બે વર્ષના બાળકની પોલીસ શોધખોળ કરી રહી હતી પરંતુ પોલીસને શંકા ગઈ હતી કે મહિલા જાણે છે કે તેના પુત્ર ક્યાં છે જેથી તેની કડક પૂછપરછ જ પોલીસે હાથ ધરી હતી. ચાર દિવસ સુધી આરોપી માતાએ પોતાના બાળક અંગે કોઈ પણ જાણકારી આપી નહીં.
જ્યારે કડક પૂછપરછ હાથ ધરી ત્યારે તેણે પહેલા જણાવ્યું કે તેણે બાળકને દફન કરી દીધુ છે જ્યારે ત્યાં પોલીસે તપાસ હાથ ધરી તો બાળક ત્યાં નહોતો ત્યારે ફરીથી માતાની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તેણે એક નવનિર્મિત બિલ્ડીંગના લિફ્ટના બેઝમેન્ટમાં બાળકનું મૃતદેહ ફેંકી દીધું છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.