Home Bharuch Devotional સોમવતી અમાસનો અનોખો મહિમા…કાલે સોમવતી અમાસ…

સોમવતી અમાસનો અનોખો મહિમા…કાલે સોમવતી અમાસ…

0

Published by : Anu Shukla

  • પાણી અને કાળા તલ ભેગા કરીને સવારે પીપળાને ચઢાવવાથી પિતૃદોષથી મુક્તિ ,મહિલાઓનું સૌભાગ્ય વધે….

આવતીકાલે તા 20 ફેબ્રુઆરીના રોજ સોમવતી અમાસ છે. આ વર્ષ 2023ની પ્રથમ સોમવતી અમાસ છે. જેનો મહીમા અનોખો છે.

તા 20 ફેબ્રુઆરીના રોજ વર્ષની પહેલી સોમવતી અમાસ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ પ્રકારનો સંયોગ વર્ષમાં 2 અથવા ક્યારેક 3 વાર પણ બની જાય છે. આ અમાસને હિંદુ ધર્મમાં અમાસપર્વ પણ કહેવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ, વ્રત, સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. સોમવતી અમાસના દિવસે તીર્થ સ્નાન કરવાથી ક્યારેક નષ્ટ ન થતું પુણ્ય મળે છે.

20 ફેબ્રુઆરીના રોજ હિંદુ કેલેન્ડરની પહેલી અમાસ છે. આ દિવસે સોમવાર હોવાથી વર્ષની પહેલી સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. તે પછી આ વર્ષની બીજી સોમવતી અમાસ17 જુલાઈના રોજ આવશે. તો ત્રીજી અને છેલ્લી સોમવતી અમાસ 13 નવેમ્બરના છે. સોમવતી અમાસના દિવસે કરવામાં આવતા દાન-પુણ્ય અને તીર્થ સ્નાનથી અક્ષય પુણ્ય મળે છે. મન શાંત થાય છે અને નકારાત્મક વિચાર દૂર થાય છે. આ તિથિએ પોત-પોતાના ક્ષેત્રની પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને ક્ષેત્રના પૌરાણિક મહત્ત્વ ધરાવતા તીર્થ, મંદિરમાં દર્શન કરવું જોઈએ. પૂજાપાઠ વગેરે શુભ કામ કરવા જોઈએ. જો આપણે કોઈ નદીમાં સ્નાન કરવા જઈ શકીએ નહીં તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરો અને તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરો. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. તેના માટે તાંબાના લોટામાં જળ ભરો અને સૂર્યદેવને ચઢાવો. આવું કરવાથી પણ તીર્થ અને નદી સ્નાન સમાન પુણ્ય મળી શકે છે. સ્નાન પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ગૌશાળામાં ધન અને લીલા ઘાસનું દાન કરવું. એમ શાસ્ત્રોમાં જણાવાયુ છે…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version