Published by : Rana Kajal
ગુજરાતના લોકવાદ્યોના સ્રોત અંગેના અભ્યાસ,સંશોધન અને સંવર્ધન માટેની કાર્યશાળાના પ્રથમ ચરણમાં ભોપાલ ખાતે યોજાઇ હતી.જેમા દાહોદ અને ડાંગ જિલ્લાના ૨૫ જેટલા કલાકારો ઉપસ્થીત રહ્યા હતા.
ગુજરાત રાજ્યના લોક વાદ્યોની કાર્યશાળામા પ્રા.યોગેશ ચૌધરી(ડાંગ),પ્રા.ગણેશ નીસરતા.(ગાંધીનગર),નિવૃત્ત પ્રા.ભરત અગ્રાવત(અમરેલી)અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી.નૈષધ મકવાણા.(વડોદરા) વ્યવસ્થાપન- આલેખન માટે સંયોજક તરીકે RIE ભોપાલ ખાતે હાજર રહ્યા હતા.તે સાથે ડો.સુરેશ મકવાણાના મહત્વના નિદર્શન અને નિયમન હેઠળ આ કાર્યશાળાનો પ્રારંભ થયો હતો

16 થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમનો ભોપાલ RIE,(एनसीईआरटी)ખાતે દબદબાભેર પ્રારંભ થયો હતો. જેમા આદિવાસી સમુદાય જીવનનો આનંદ હાથવગી સામગ્રી માંથી સ્વયં નિર્મિત વાદ્યો વગાડીને,ગાઈને,નાચીને મેળવી લે છે. રોજબરોજના જીવનને કલા સાથે જોડી દે છે.પ્રકૃતિમય સહજ જીવન ગુજારે છે.પ્રાકૃતિક સંપદાનું શોષણ નથી કરતો પરંતું દોહન કરે છે.અને જતન કરે છે.

આદિવાસીઓ ભીલ, રાઠવા, ચૌધરી , વસાવા, ગામીત, કોંકણી, ઢોડિયા, પટેલિયા વગરે પેટા જનજાતિની કલા-સંસ્કૃતિ, નૃત્ય, વાદ્ય, ગીત, પોષાક વગેરેમાં થોડો ઘણો તફાવત જરૂર છે.પરંતુ જળ, જમીન અને જંગલ, પર્વત અને પશુઓ સાથેનું જોડાણ અને સહજ જીવનના ભાવ તમામની આંતરચેતનામાં ભરપૂર પડ્યા છે. જે મહત્વની બાબત છે…
લોક વાદ્યો જેવાકે ખપાટ(કામડી), એકતારો, ઢાક, કોટવાળ, ચીપિયો, ઢોલ-કૂંડી થાળી, શરણાઈ, સિતાર, કાંસીજોડા, ઢોલકી, કેન્દ્રી(રાવણહથ્થો), પાવરી, કાહળિયા, ડેરા,સૂર-સાબડી, થાળીવાદ્ય, વગેરે લુપ્ત થઈ રહ્યાં છે જે વાદ્યોના સંરક્ષણ અને સંવર્ધનની ચિંતા વ્યક્ત થઈ હતી.ડી.જે.ના જમાનામાં નવી પેઢી ધીરે ધીરે લુપ્ત થતાં વાદ્યો વિશે જાણે,શીખે,અને ઉપયોગ કરે એવા પ્રયત્નો અને પ્રવૃત્તિઓ થાય તેવા વિચાર સાથે ચોકસાઈ પૂર્વક લેખન કરીને તથા વિડિયો દ્વારા દસ્તાવેજીકરણ કર્યું હતું.

હવે આવી જ રીતે બીજા તબક્કામાં તાપી અને કવાંટ છોટાઉદેપુર જિલ્લાઓના કલાકારોની સહભાગિતા રહેશે.એ જ પ્રમાણે સમગ્ર ગુજરાતના લોકવાદ્યો પર કામ થશે. ‘અક્ષરજ્ઞાન’ આપણને ચાર દીવાલો વચ્ચે મળે છે પણ ‘અંતરજ્ઞાન’ તો પ્રકૃતિ પાસેના અનુભવથી મળે છે.” યહાં પર બોલીવુડ યા હોલીવુડ કો છોડ કર ‘આદિવુડ’કે કલ્ચર બાત હમકો શીખને કો મિલી.”લોકકલા, લોકસાહિત્ય, લોકવાદ્યો, લોકસંગીત, લોકગીતોલુપ્ત થતા જાય છે એથી આપણે શરમાવા જેવું છે.આત્મચિંતન કરવા જેવું છે.