અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાં આવેલ બસીર અહેમદ ભોલના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું છે જે વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોપર કોઈલની ચોરી કરી ફરાર થઇ જ્યારે આવી જ રીતે જૂની દીવી, જુના બોરભાઠા અને સુરવાડી ગામની સીમમાં મળી ૭ સ્થળોએથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઇલ મળી કુલ ૧.૫૩ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પંથકમાં ફરી વીજ ટ્રાન્સફોર્મરની ઘટનાઓ સામે આવી રહી છે.