Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વરના મીરાનગરમાંથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકીની માહિતી આપનારને સીબીઆઈ દ્વારા 5...

અંકલેશ્વરના મીરાનગરમાંથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકીની માહિતી આપનારને સીબીઆઈ દ્વારા 5 લાખનું ઈનામ અપાશે

અંકલેશ્વર મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય રુકસારની તપાસ કરી રહેલી સીબીઆઈએ માહિતી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી છે.આ અંગે ભરૂચ જિલ્લા પોલીસે પણ રુકસારની શોધમાં ચાર રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશ સહીત રેડ લાઈટ એરિયાથી લઈને અનેક સ્થળો ખુંદી નાખવા છતાં રુકસાર મળી ન હતી. જેથી બે મહિના પહેલા પિતાની અરજીથી સમગ્ર તપાસ સી.બી.આઈને સોંપાઈ હતી.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી 9 વાર્ષિક રુકસાર મહંમદ અંસારી હીન્દી અને ભોજપુરી ભાષા જાણે છે ગત તારીખ-30મી જાન્યુઆરીના રોજ ગુમ થઇ ગઈ હતી.જે અંગે જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલે પણ વિશેષ રસ દાખવી ગુમ રુકસારને શોધવા માટે અલગ અલગ ટીમોની રચના કરી ચાર રાજ્યના,2 કેન્દ્રશાસિત પ્રદેશ, રેડ લાઈટ એરિયા સહિત અનેક શહેરો ખુંદી નાખ્યું હતું. છતાં પણ કોઈ પણ સ્થળે તેનો પત્તો લાગ્યો ન હતો. જો કે આ અંગે પુત્રી વિના દુઃખી બનેલા પિતાએ સી.બી. આઈની તપાસની માંગ કરી હતી. ત્યારબાદ બે મહિના પહેલા જ સી.બી.આઈને તપાસ સોંપવામાં આવી હતી.

આ અંગે ગત મહિને જ સીબીઆઈની ટીમે અંકલેશ્વર શહેરમાં આવી તપાસ કરી પરિવારના જવાબો લઈ ગઈ હતી.પરંતુ હજી સુધી રુકસારનો પત્તો નહિ લાગતા સી.બી. આઈએ એક પત્રિકા બનાવી રુકસાર અંગે સચોટ માહિતી અપનારને 5 લાખ આપવાની જાહેરાત કરી છે.જે અંગે સી.બી.આઈ ઓફિસ મુંબઈ દ્વારા 022-2757 6804 તેમજ ભરૂચ જિલ્લા કંટ્રોલ રૂમ 02642- 223303 તેમજ ડી.વાય.એસ.પી સી.બી.આઈ. એસ.સી.બી મુંબઈનો નંબર 9426767677 જારી કરવામા આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!