મૂળ ઝારખંડના અને હાલ મહાવીર ટર્નિંગ પાસે આવેલ તીર્થ નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર સાહેબરા ઉરાવ અને બાલમુકુંદ પંડિત ગતરોજ રાતે અંકલેશ્વરની શાકમાર્કેટમાથી મહાવીર ટર્નિંગ જતા રોડ ઉપર ચાલતા-ચાલતા જતા હતા તે દરમિયાન ઓ.એન.જી.સી.ઓફીસ પાસે પાછળથી બાઈક નંબર-જી.જે.ડી.ઈ.૨૯૭૦ ઉપર આવેલ બે ગઠીયા પૈકી પાછળ બેઠેલા ઇસમે રાજેન્દ્ર સાહેબરા ઉરાવના હાથમાં રહેલ ફોન ઝૂંટવવા હાથ કરતા તેણે ફોન નહી છોડતા બાઈક પર આવેલ ગઠિયાઓ માર્ગ ઉપર પટકાયા હતા જે પૈકી રાજેન્દ્ર ઉરાવ અને બાલમુકુંદ પંડિતે એક ગઠીયાને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો ઝડપાયેલ ઇસમને અંકલેશ્વર એ ડીવીઝન પોલીસને હવેલ કર્યો હતો પોલીસે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતી તે ઝઘડિયા તાલુકાના માલપોર ગામના માનસિંગ ફળિયામાં રહેતો અનીલ હસમુખ વસાવા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે રાહદારીનો ફોન ઝુંટવી ભાગવા જતા ગઠીયાને પકડી પાડી એ ડીવીઝન પોલીસને હવાલે કર્યો…
RELATED ARTICLES