Published By : Patel Shital
- ટ્રેડિશનલ અભ્યાસક્રમની જગ્યાએ ઉધોગોને સ્કિલ કર્મચારી અને યુવાનોને નોકરી મળે તેવા પ્રેક્ટિકલ કોર્સ શરૂ…
- કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીના ડિરેકટર જનરલ IAS ડો. અંજુ શર્માએ AIA ના સથવારે કાર્યરત કરી તાલીમ મહાવિદ્યાલય…
ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની માંગ અને માર્કેટને સંતોષવા સરકારે ઉદ્યોગોના સહકારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મદદથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીનો શુક્રવારથી શુભારંભ કરાવ્યો છે.
એશિયાની નંબર વન GIDC અંકલેશ્વર ખાતે નવા શૈક્ષણિક સત્રથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની શરૂઆત થઈ રહી છે. આજે શુક્રવારે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ KSU ના ડિરેકટર જનરલ IAS ડો. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. અંકલેશ્વર ઉધોગ મંડળના હોલ ખાતે ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીના અભ્યાસક્રમોનો આરંભ કરાયો હતો. પેહલા વર્ષે અંકલેશ્વર AIA ના સહકારથી KSU માં 7 UG ના કોર્સ ઓફર કરાયા છે. જેમાં પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટી, એન્વાયરમેન્ટ ટેકનોલોજી એન્ડ મેનજમેન્ટ, ડિપ્લોમા ઇન ગુડ્ઝ એન્ડ સર્વિસ પ્રેક્ટિસ, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, પ્લાન્ટ એન્ડ ડાયઝ એન્ડ કેમિકલ્સ, લેબર લોઝ એન્ડ પ્રેક્ટિસમાં પ્રેવશ આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. યુવાન આ કોર્ષમાં સર્ટિફિકેટ, ડીગ્રી મેળવ્યે તરત જ તેમના માટે જોબ તૈયાર હશે. આર્થિક રીતે નબળા યુવાનો માટે સ્કોલરશીપની જોગવાઈ અને તમામ કોર્ષની ફી વ્યાજબી રાખવામાં આવી છે. કોર્ષ દરમિયાન એપ્રેન્ટીસ અને ઓન ધ જોબ ટ્રેનિંગનો લાભ પણ ઉમેદવારોને મળી રહેશે.