- બી ડીવીઝન પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો અને પથારાવાળાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી
- પોલીસની કાર્યવાહીને પગલે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ
અંકલેશ્વરમાં જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના લોક દરબારમાં ટ્રાફિકની સમસ્યાને લઇ રજૂઆત બાદ બી ડીવીઝન પોલીસ એક્શન મોડમાં આવી જઈ દંડનીય કાર્યવાહી હાથ ધરતા ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
બે દિવસ પહેલા અંકલેશ્વરમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જે લોક દરબારમાં લોકોએ આડેધડ વાહનોની પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોવા સાથે પથારાવાળાને પણ સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત કરી હતી જે બાદ જીલ્લા પોલીસ વાડાએ અંકલેશ્વર પોલીસને ટ્રાફિકને અડચણરૂપ દબાણકર્તાઓ અને વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા જ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને પ્રતીન ચોકડીથી વાલિયા ચોક્ડી સુધીના માર્ગ ઉપર ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનો અને પથારાવાળા સામે કાર્યવાહી કરી ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારી વાહનો ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની ટ્રાફિક ડ્રાઈવને પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.