Home Ankleshwar અંકલેશ્વરમાં તસ્કરો બેફામ …કેશવ પાર્કમાં રૂ. ૧૦ લાખની મત્તાની ચોરી…

અંકલેશ્વરમાં તસ્કરો બેફામ …કેશવ પાર્કમાં રૂ. ૧૦ લાખની મત્તાની ચોરી…

0

Published by : Anu Shukla

  • લગ્ન પ્રસંગમાં ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

અંકલેશ્વરના કેશવ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ એક જ અઠવાડિયામાં બીજા મકાનને નિશાન બનાવી રોકડા 2 લાખ અને સોનાના ઘરેણાં મળી કુલ 10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર ના પિરામણ રોડ ઉપર આવેલ શ્રવણ સ્કૂલ ની પાસે કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશ મનહર રાણા પોતે ડોક્ટર હોય તેઓ શિવ શક્તિ ક્લિનિક ચલાવે છે. ગતરોજ તેઓના મામાની દીકરીના લગ્ન હોવાથી દીવા રોડ ખાતે ગયા હતા. તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા તથા રોકડ 2 લાખ મળી કુલ રૂ. 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version