અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ભીષ્મપિતામહ ડી.એ.આનંદપુરાની સ્મૃતિ અર્થે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઇ આજરોજ મીટીંગ મળી હતી
તારીખ-૨૨મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એશિયન પેઈન્ટ સહિતના કંપનીઓના સંયોગથી ભીષ્મપિતામહ ડી.એ.આનંદપુરાની સ્મૃતિ અર્થે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ કિલોમીટર,પાંચ કિલોમીટર અને ૧૦ કિલોમીટર તેમજ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે કુલ ૨૧ કિલોમીટરની મેરેથોન બે ભાગમાં વહેચી દેવામાં આવી છે આ દોડમાં અંદાજીત ૫ હજાર દોડવીરો ભાગ લઇ શકે તે માટે આયોજકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ભાગ લેનાર સ્પર્ધકો રજીસ્ટ્રેશન થકી ભાગ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ મેરેથોન દોડના આયોજનને લઇ આજરોજ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજકોની મીટીંગ મળી હતી જેમાં કાર્યક્રમને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મીટીંગમાં અશોક પજવાણી,દિનેશ પટેલ, કમિટી મેમ્બર નરેશ પુજારા,મોહમ્મદ જરીવાળા અને ડીપીએમસીના મનોજ કોટડીયા,ક્રિષ્ના મહારાઉલ,નરેન્દ્ર ભટ્ટ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.