- અંકલેશ્વરના નવાબોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તોડતી વખતે બનેલ દુર્ઘટનામાં ઘવાયેલ વિદ્યાર્થી કોંગ્રેસ ઉમેદવાર વિજય પટેલે મુલાકાત કરી હતી.
ગતરોજ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓ શૌચાલય તોડવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન શૌચાલયની દિવાલ તૂટી પડતા દોડધામ માંથી જવાબ આવી હતી આ ઘટનામાં એક વિદ્યાર્થી શિવમ પ્રવીણ વસાવા દબાઈ ગયો હતો જેને તાત્કાલિક નજીકમાં રહેતા સ્થાનિકોએ બહાર કાઢી અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ બનાવને પગલે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જે વિદ્યાર્થી સારવાર હેઠળ હોય આજરોજ અંકલેશ્વર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે મુલાકાત કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.