Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઅંકલેશ્વરમાં 5 કરોડના ખર્ચે ગામ તળાવનું બ્યુટીફીકેશન, 85 ટકા કામગીરી પૂર્ણ...

અંકલેશ્વરમાં 5 કરોડના ખર્ચે ગામ તળાવનું બ્યુટીફીકેશન, 85 ટકા કામગીરી પૂર્ણ…

  • એક કિમીના વોકિંગ વે સાથે એક્યુપ્રેશર ટ્રેકનું પણ નિર્માણ

      અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભરૂચી નાકા વિસ્તારમાં પોણા એક કિલોમીટરના વિસ્તારમાં વોકિંગ ટ્રેક ઊભો કરવાના પ્રોજેકટનું 85% કામ પૂર્ણ થયું.

      અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયોજન હાથ ધરાયુ છે.જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું 85% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા લાઇટિંગ, ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોક વે સાથે ભરૂચના માતરિયા તળાવની જેમ ગાર્ડન બનાવાય રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે. લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેમજ નાના બાળકો માટે રમત-ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવશે. સાથે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવામાં આવશે. તો અહી એક્યુપ્રેશર વોક વે પણ બનશે.

      RELATED ARTICLES

      LEAVE A REPLY

      Please enter your comment!
      Please enter your name here

      - Advertisment -
      Google search engine
      100FansLike
      300FollowersFollow
      400FollowersFollow
      700SubscribersSubscribe

      Most Popular

      Recent Comments

      ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
      ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
      error: Content is protected !!