Home News Update My Gujarat અંકલેશ્વરમા હાઈ વોલ્ટેજને પગલે એક મકાનમા આગ…

અંકલેશ્વરમા હાઈ વોલ્ટેજને પગલે એક મકાનમા આગ…

0

અંકલેશ્વરના પંચાટી બજાર પાછળ આવેલ સોઈ ફળિયામાં હાઈ વોલ્ટેજને પગલે એક મકાનમાં આગ સહીત ૧૫થી વધુ ઘરોમાં વીજ ઉપકરણો ફૂંકાઈ જતા વીજ ગ્રાહકોએ વળતરની માંગ કરી છે.

ગતરોજ બપોરના સમયે અંકલેશ્વરના પંચાટી બજાર પાછળ આવેલ સોઈ ફળિયામાં અચાનક વીજ પ્રવાહ વધી જતા એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી જયારે અન્ય ૧૫થી વધુ મકાનોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે ટીવી,ફ્રીજ અને મોટર સહિતના ઇલેક્ટ્રિક સાધનો ફૂંકાઈ ગયા હતા જેને પગલે સ્થાનિકોએ તાત્કાલિક દક્ષીણ ગુજરાત વીજ કંપની ખાતે જાણ કરતા વીજ કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી સમગ્ર વિસ્તારમાં વીજ ઉપકરણો ફુંકાઈ જતા વીજ ગ્રાહકોએ વળતરની માંગ કરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version