Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઅંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એઓસીએશનની 8 સભ્યોની ચૂંટણી સંપન્ન, પ્રમુખ માટે 28 જુલાઈની જોવી...

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એઓસીએશનની 8 સભ્યોની ચૂંટણી સંપન્ન, પ્રમુખ માટે 28 જુલાઈની જોવી પડશે રાહ…

Published by : Rana Kajal

  • મેનેજીંગ કમિટીના 10 સભ્યોની ચૂંટણીમાં સહયોગ પેનલના બે સભ્યો બિનહરીફ
  • 8 સભ્યોની ચૂંટણીમાં 6 સહયોગના અને 2 વિકાસ પેનલના વિજેતા
  • AIA ના 30 સભ્યોની રસપ્રદ ચૂંટણી પ્રક્રિયા વિશે જાણવા જેવું

અંકલેશ્વર ઉધોગ મંડળની ચૂંટણીમાં પ્રમુખ કોણ એ જાણવા માટે હજી 28 જુલાઈ સુધી જોવી પડશે રાહ.

અંકલેશ્વર ઉધોગ મંડળની વર્ષ 2023 -24 ની ચૂંટણી મેનેજીંગ કમિટીના 10 સભ્યો માટે યોજાઈ હતી. જેમાં 2 બિનહરીફ રહેતા 8 સભ્યોની ચૂંટણીમાં સહયોગ પેનલના 6 અને વિકાસ પેનલના 2 વિજેતા થયા છે.

શુક્રવારે AIA ખાતે સવારે 8 કલાકથી બપોરે 3 કલાક સુધી મતદાન યોજાયું હતું. જેમાં 1090 પૈકી 923 એ મતદાન કરતા 84.68 ટકા મતદાન થયું હતું.

બપોરથી હાથ ધરાયેલી મતગણતરી રાતે 12 કલાકે સંપન્ન થઈ હતી. જેમાં 8 સભ્યોની ચૂંટણીમાં સહયોગ પેનલના હસમુખ દૂધાત 548 મત, અમુલખ પટેલ 522, હેતલ પટેલ 494, હિંમત શેલડીયા 486, જતીન ગાંધી 479 અને પી.કે. પટેલ 474 મત સાથે વિજેતા થયા હતા.

વિકાસ પેનલના વાલમજી દેસાઈ અને હસમુખ પટેલનો 461 મતે વિજય થયો હતો.

AIA માં કુલ 30 સભ્યોની કમિટીમાં હવે 28 સહયોગ પેનલના અને 2 વિકાસ પેનલના છે. એ.આઈ.એ. માં 10 સભ્યો જેના 3 વર્ષ પુરા થતા હોય તે રિટાયર્ડ થાય છે.

હવે જુલાઈ મહિનાના ચોથા શુક્રવાર એટલે કે 28 જુલાઈએ AIA ની નવી કમિટીની મિટિંગ મળશે. જેમાં નવા પ્રમુખ, સેક્રેટરી સહિતની નિમણૂક કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!