અંકલેશ્વર ખાતે ઝઘડિયાની કે.એલ.જે કંપની દ્વારા રોટરી મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની યુપીએલ રોટરી લાઈબ્રેરી ખાતે રક્તદાનને વધુ વેગવંતુ બનાવવા અને ગ્રામ્ય વિસ્તારોમાં રક્ત એકત્ર કરવા સાથે લોકોને બ્લડ બેંક સુધી નહિ આવું પડે તે માટે હેતુથી ઝઘડિયાની કે.એલ.જે કંપની દ્વારા રોટરી મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું કે.એલ.જે.ગ્રુપના ચેરમેન કે.એલ.જૈનના હસ્તે તિલક અને રીબીંગ કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે બાદ યુપીએલ રોટરી લાઈબ્રેરી ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કંપનીના એમડી પુષ્પ જૈન,ડી.જી.એન. તુષાર શાહ,પી.ડી.જી. પ્રશાંત જાની અને અશોક પંજવાણી તેમજ રોટરી પ્રમુખ અર્પણ સુરતી,સેક્રેટરી પંજક ભરવાડા,ગજેન્દ્ર પટેલ સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.