- વાગરા અને હાંસોટમાં અડધો ઇંચ મેઘમહેર વચ્ચે વિસર્જન યાત્રા સંપન્ન
- ભરૂચ જિલ્લાનો મૌસમનો 111 ટકા વરસાદ નોંધાયો
ગતરોજ સાંજે ભરૂચ જીલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજા વરસતા ગણેશ વિસર્જનમાં ભક્તોનો ઉત્સાહમાં વધારો થયો હતો.
ભરૂચ શહેર અને જિલ્લામાં વિસર્જનની રાતે ગાજવીજ સાથે મેઘરાજા વરસી પડતા ભક્તો અને યુવક મંડળોનો ઉત્સાહ બેવડાયો હતો.વરસતા વરસાદમાં પણ ડીજે, ઢોલ નગારા સાથે વિવિધ શ્રીજીની વિસર્જન યાત્રામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. મોડી રાત સુધી વરસાદ વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં વિસર્જનની રાતે ગાજવીજ સાથે મેઘરાજા વરસી પડતા ભક્તો અને યુવક મંડળોનો ઉત્સાહ બેવડાયો હતો.વરસતા વરસાદમાં પણ ડીજે, ઢોલ નગારા સાથે વિવિધ શ્રીજીની વિસર્જન યાત્રામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. મોડી રાત સુધી વરસાદ વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.




