Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઅંકલેશ્વર-વાલિયા ખાતે ધરતી આબા બિરસા મુંડાની 148મી જન્મ જયંતીની ઉજવણી..

અંકલેશ્વર-વાલિયા ખાતે ધરતી આબા બિરસા મુંડાની 148મી જન્મ જયંતીની ઉજવણી..

અંકલેશ્વર ભાજપ દ્વારા આદિવાસી સમાજના ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ભરુચી નાકા સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

ધરતી આબા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં ઝારખંડના ઉલિહાતુ ગામમાં સુગના મુંડાને ઘરે થયો હતો જેઓએ અંગ્રેજી શાસનમાં આદિવાસી સમાજ ઉપર થતા અત્યાચારો સામે લડત ચલાવી હતી વર્ષ-1894માં ભયંકર દુકાળના સમયે આદિવાસી સમાજના લોકોની સેવા કરી જેના કારણે તેઓ મહાપુરુષનો દરજ્જો મળ્યો લોકો તેઓને ધરતી આબાથી ઓળખતા અને પૂજતા થયા હતા આજે બિરસા મુંડાની 148મી જન્મ જયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વરના ભરુચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા ખાતે ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા સહિતના આગેવાનોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા.

વાલિયા ખાતે ધરતી આબા બિરસા મુંડાની 148મી જન્મ જયંતી નિમિત્તે આદિવાસી સમાજના યુવાનો કરવામાં આવી હતી.ક્રાંતિકારી અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 148મી જન્મ જયંતિ ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વાલિયા ગામના ચાર રસ્તા પાસે યુથ પાવર દ્વારા સ્થાપિત ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તાલુકાના આદિવાસી યુવાનોએ બિરસા મુંડાની 148મી જન્મ જયંતીની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા સહિતના યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!