ગુજરાત વિધાનસભાની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે જેને લઇ વિવિધ રાજકીય પક્ષોએ બેઠકો અને મીટીંગોનો દોર શરુ કર્યો છે ત્યારે કોંગ્રેસના દક્ષિણ ઝોનના એ.આઈ.સી.સી.ના સહ પ્રભારી બી.એમ.સંદીપજીની હાજરીમાં ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર મીટીંગોનો દોર શરુ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાં આવેલ રમણમુળજીની વાડી ખાતે મીટીંગ મળી હતી.

મીટીંગમાં અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના મત વિસ્તારના કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ બેઠક કેવી રીતે જીતવી તે અંગે ચર્ચા કરાઈ હતી.આ મીટીંગમાં એ.આઈ.સી.સીના સભ્ય સોનલ પટેલ,આકાશ ભાટિયા,પ્રદેશ મહામંત્રી સંદીપસિંહ માંગરોલા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,કોંગ્રેસના આગેવાન મગનભાઈ પટેલ,વલ્લભ પટેલ,શેરખાન પઠાણ,અંકલેશ્વર શહેર પ્રમુખ જગતસિંહ વાસદીયા,તાલુકા પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય, અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
