હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની ચોથનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આજે ગણેશજી અને મંગળ ગ્રહની પૂજા કરો તથા પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો. આજનો દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. આ યોગમાં કરવામાં આવતા શુભ કામ જલ્દી સિદ્ધ થાય છે. અંગારક ચોથ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. સવાર-સાંજ ગણેશ પૂજન કરવામાં આવે છે.
મંગળ ગ્રહ માટે પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. ઉજ્જૈન મંગળ દેવનું જન્મ સ્થાન છે.અંગારક ચોથ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. સવાર-સાંજ ગણેશ પૂજન કરવામાં આવે છે.
પિતૃ પક્ષની ચોથ તિથિએ તે લોકોનું શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરો. જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની ચોથ તિથિએ થયું હોય.

મેષ અને વૃષભ રાશિના સ્વામી મંગળ દેવ
- મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. અંગારક ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશ પૂજન કરો, તે પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું, બીલીપત્ર સાથે જ લાલ ફૂલ, લાલ ગુલાલ, મસૂરની દાળ ચઢાવો.
- મંગળ માટે ભાત પૂજા કરો. આ પૂજામાં શિવલિંગનો પકવેલાં ચોખાથી શ્રૃંગાર કરવામાં આવે છે. ભાત શ્રૃંગાર કર્યા પછી પૂજા કરવામાં આવે છે. પૂજામાં ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

અંગારક ચોથની પૂજા
- અંગારક ચોથના દિવસે સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ગણેશજીને જળ ચઢાવવું. સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ અને પૂજન સામગ્રી ચઢાવો અને ધૂપ-દીપ પ્રગટાવો
- ગણેશજી સામે વ્રત કરવાનો સંકલ્પ કરો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. આરતી કરો.
- જો વ્રત કરી રહ્યા છો તો આખો દિવસ અનાજનું સેવન ન કરો. ફળાહાર કરો, પાણી, દૂધ, ફળનો રસ વગેરેનું સેવન કરી શકો છો.

પિતૃઓની પૂજા
- પિતૃ પક્ષમાં દરરોજ બપોરે લગભગ 12 વાગ્યે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. તેના માટે ખીર-પુરી, મીઠાઈ વગેરે સામગ્રી બનાવો.
- છાણા પ્રગટાવો અને છાણા ઉપર ગોળ-ઘી સાથે જ ભોજનનું ધૂપ આપો. તે પછી આ ભોજન ગાય, કૂતરા અને કાગડાને ખવડાવો. પિતૃ પક્ષમાં જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ.