Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDevotionalઅંગારક ચોથ: આજે સર્વાર્થ સદ્ધિ યોગ સાથે પિતૃ પક્ષની ચોથ…

અંગારક ચોથ: આજે સર્વાર્થ સદ્ધિ યોગ સાથે પિતૃ પક્ષની ચોથ…

હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની ચોથનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આજે  ગણેશજી અને મંગળ ગ્રહની પૂજા કરો તથા પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો. આજનો દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. આ યોગમાં કરવામાં આવતા શુભ કામ જલ્દી સિદ્ધ થાય છે. અંગારક ચોથ  તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. સવાર-સાંજ ગણેશ પૂજન કરવામાં આવે છે.

મંગળ ગ્રહ માટે પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. ઉજ્જૈન મંગળ દેવનું જન્મ સ્થાન છે.અંગારક ચોથ  તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. સવાર-સાંજ ગણેશ પૂજન કરવામાં આવે છે.

પિતૃ પક્ષની ચોથ તિથિએ તે લોકોનું શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરો. જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની ચોથ તિથિએ થયું હોય.

મેષ અને વૃષભ રાશિના સ્વામી મંગળ દેવ

  • મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. અંગારક ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશ પૂજન કરો, તે પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું, બીલીપત્ર સાથે જ લાલ ફૂલ, લાલ ગુલાલ, મસૂરની દાળ ચઢાવો.
  • મંગળ માટે ભાત પૂજા કરો. આ પૂજામાં શિવલિંગનો પકવેલાં ચોખાથી શ્રૃંગાર કરવામાં આવે છે. ભાત શ્રૃંગાર કર્યા પછી પૂજા કરવામાં આવે છે. પૂજામાં ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

અંગારક ચોથની પૂજા

  • અંગારક ચોથના દિવસે સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ગણેશજીને જળ ચઢાવવું. સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ અને પૂજન સામગ્રી ચઢાવો અને ધૂપ-દીપ પ્રગટાવો
  • ગણેશજી સામે વ્રત કરવાનો સંકલ્પ કરો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. આરતી કરો.
  • જો વ્રત કરી રહ્યા છો તો આખો દિવસ અનાજનું સેવન ન કરો. ફળાહાર કરો, પાણી, દૂધ, ફળનો રસ વગેરેનું સેવન કરી શકો છો.

પિતૃઓની પૂજા

  • પિતૃ પક્ષમાં દરરોજ બપોરે લગભગ 12 વાગ્યે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. તેના માટે ખીર-પુરી, મીઠાઈ વગેરે સામગ્રી બનાવો.
  • છાણા પ્રગટાવો અને છાણા ઉપર ગોળ-ઘી સાથે જ ભોજનનું ધૂપ આપો. તે પછી આ ભોજન ગાય, કૂતરા અને કાગડાને ખવડાવો. પિતૃ પક્ષમાં જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!