Home Devotional અખાત્રીજના દિવસે મુહુર્ત જોયા વિના લગ્ન યોજી શકાય છે તે માન્યતા આ...

અખાત્રીજના દિવસે મુહુર્ત જોયા વિના લગ્ન યોજી શકાય છે તે માન્યતા આ વર્ષે ખોટી પડશે…

0

Published By : Patel Shital

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે અખાત્રીજનો દિવસ લગ્ન માટે અતિશુભ હોય છે. પરંતુ આ વર્ષે આ માન્યતા ખોટી પડતી હોય તેમ અખાત્રીજ 22 એપ્રિલના રોજ લગ્ન માટે શુભ મુહુર્ત નથી. તેથી કદાચ દર વર્ષે અખાત્રીજના દિવસે ખુબ મોટી સંખ્યામા લગ્ન પ્રંસગો યોજાય છે. તો અખાત્રીજના દિવસે આ વર્ષે મુર્હૂત જોઈ લગ્ન કરનારા કદાચ લગ્ન પ્રસંગ નહીં યોજે એવું બની શકે છે. તે સાથે આવનાર તા 14 માર્ચના મંગળવાર થી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને તેથી મીનારક કમૂરતા નો આરંભ થઈ જશે. તેની સાથે આવનાર 1 એપ્રિલથી ગુરૂ પણ અસ્તનો થઈ જાય છે. અત્રે નોંધવું રહ્યું કે ગુરૂ શુક્ર અસ્ત હોય તેવી ગ્રહદશામા માંગલિક પ્રસંગો યોજી શકાતા નથી. આ સાથે અન્ય ગ્રહ દશા જોતા 14 માર્ચ થી 3 મે ના સમય દરમિયાન લગ્ન પ્રસંગ અને અન્ય માંગલિક કાર્યો યોજી શકાશે નહીં.

વર્ષ 2023 માં લગ્નના શુભ મુહુર્ત…

મે મહિનામાં 4, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30

જૂન મહિનામાં 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27

નવેમ્બર મહિનામાં 23, 24, 27, 20, 29

ડિસેમ્બર મહિનામાં 5, 6, 7, 8, 9, 11, 15

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version