- શુકલતીર્થમાં શુકલેશ્વર,સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ભક્તોનું અસ્થાનું કેન્દ્ર
મગધ સામ્રાજ્યના મહા અમાત્ય ચાણક્ય આધી,વ્યાધિ અને ઉપાધિથી પીડાતાથી મુક્તિ મેળવવા ભરૂચના શુકલતીર્થ ખાતે આવી પહોંચ્યા હોવાનું મનાઈ છે.
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી 20 કિલો મીટરના અંતર નર્મદા નદીના કિનારે પવિત્ર અને પૌરાણિક યાત્રાધામ શુકલતીર્થ આવેલું છે. શુકલતીર્થ ખાતે ગામના મધ્યમાં ભગવાન શુકલેશ્વર, સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
અનેક ગ્રંથોમાં શુકલતીર્થનો ઉલ્લેખ
શિવપુરાણ, રેવાપુરાણ,માર્કંડેય પુરાણ અને સ્કંદપુરાણ સહિતના ધાર્મિક ગ્રંથોમાં શુકલતીર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવાય છે કે મહાભારત કાળથી શુકલતીર્થમાં દર કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ભાતીગળ મેળો યોજાય છે. આ મેળામાં દેવોની પણ હાજરી હોવાની માન્યતા છે.

પુરાણોમાં ઉલ્લેખ છે કે મગધ સામ્રાજ્યના મહા અમાત્ય ચાણક્ય આધી,વ્યાધિ અને ઉપાધિથી ચિંતાઓમાં ઘેરાયા હતા ત્યારે તેઓના ગુરુએ નર્મદા નદી કિનારે તેઓને મોક્ષ મળશે અને અમરકંટકથી કાળા વસ્ત્રો,કાળી ધ્વજા,કાળી નાવમાં પ્રસ્થાન કરી જે સ્થળે આ ત્રણેય વસ્તુઓ સફેદ એટલે કે સ્વેત થશે ત્યાં આવેલ શિવ મંદિરે ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થશે જેથી ચાણક્ય અમરકંટકથી નીકળતા શુકલતીર્થ ખાતે આવી ત્રણેય વસ્તુઓ સફેદ થતા તેઓ ત્યાં શિવલિંગની પૂજા અર્ચના કરતા તેઓ પાપ મુક્ત રોગ મુક્ત થયા હતા.
કારતક સુદ અગિયારથી પૂનમ સુધી હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટે છેજેથી ગામના મધ્યમાં ભગવાન શુકલેશ્વર, સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિર ખાતે મહા શિવરાત્રી અને કારતક સુદ અગિયારથી પૂનમ સુધી હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.
અણહિલ પાટણના મીનળદેવીએ વિક્રમ સંવત 1011માં શુકલતીર્થનો યાત્રાવેરો માફ કર્યો
અણહિલવાડ પાટણના રાજા ચામુંડે પુત્ર વિયોગના આઘાતમાં શેષ જીવન જપ-તપમાં વિતાવ્યું હોવા સાથે અણહિલ પાટણના મીનળદેવીએ વિક્રમ સંવત 1011માં શુકલતીર્થનો યાત્રાવેરો માફ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે.નર્મદા નદી કિનારે આવેલ અનેક મંદિરો પૈકી શુકલતીર્થને સૌથી પવિત્ર માનવામાં આવે છે આ ધામ ખાતે ધર્મરાજા યુધિષ્ઠિર,ભૃગુ ઋષિ,અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો,ચાણક્યની યાત્રાઓ સહિતની અનેક ગાથાઓ સંકળાયેલી છે.
મુસ્લિમ લૂંટારું મહંમદ બેગડાએ તેના લશ્કર સાથે શુકલતીર્થ પણ ચઢાઈ કરી મંદિરને લૂંટવા સાથે શિવલિંગ ઉપર હુમલો કર્યો હતો.અને લૂંટ ચલાવી હતી.ત્રણેય શિવલિંગને નુકશાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.સમય જતાં શુકલતીર્થમાં મહાશિવરાત્રી અને સોમવારે તેમજ ધાર્મિક તહેવારો સાથે વાર તહેવારે ભક્તોની ભીડ જોવા મળે છે. ભક્તો શુકલેશ્વર, સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.