Published by : Anu Shukla
અદાણી ફાઉન્ડેશન દહેજ, પ્રાયમરી હેલ્થ કેંદ્ર, સંક્લીત બાળ વિકાસ પરિયોજના,વાગરા અને ગ્રામ પંચાયતના સહકારથી વાગરા તાલુકાના આઠ ગામમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું. વાગરા તાલુકાનાં લખીગામ, લુવારા, જાગેશ્વર, અંભેટા, જોલવા, કલાદરા, કોલીયાદ અને વેંગાણીમાં આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પૈકી કલાદરા, કોલીયાદ અને વેંગાણીમાં ગામના લોકો મુજબ એમના ગામમાં પ્રથમ વખત જ હેલ્થ કેમ્પનું આયોજન થયું હતું.
આ આરોગ્ય કેમ્પ માં ઇસીજી, સીબીસી, આરબીએસ રિપોર્ટ, દવાઓ સાથે બાળરોગ નિષ્ણાત, સ્ત્રીરોગ નિષ્ણાત અને જનરલ ફિઝિશિયન તબીબ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં અડધાથી વધુ લોકો તો 45 થી 65 વર્ષની વયજૂથના હતા. એનું કારણ એ કે આ ઉમરના દર્દીઓ સ્ક્રીનીંગ અથવા તબીબી તપાસના હેતુ માટે વધુ દૂર જઈ શકતા નથી તેથી આ કેમ્પ તેમના માટે વરદાન સમાન હતા. એમના ગામમાં યોજાયેલા આ કેમ્પ એમના માટે ઘરઆંગણે તબીબી પરીક્ષણ કરી શકાયું હતું. વી કેર હેલ્થ સેન્ટર દ્વારા હવે પછી જેમને જરૂર જણાશે એમનું ફોલોઅપ પણ કરવામા આવશે અને જરૂરી જણાશે તેમને વધુ સારવાર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કેમ્પનો લાભ લગભગ ૧૫૦૦ લોકોએ લીધો હતો, એ પૈકી 712 સી.બી.સી રિપોર્ટ અને ઇ.સી.જી રિપોર્ટ 635 ઘરઆંગણે ઉપલબ્ધ થયા હતા.
હેલ્થ કેમ્પને સફળ બનાવવામાં જ્યાં કેમ્પ યોજાયા એ વાગરાના આઠ ગ્રામપંચાયતનો અદાણી ફાઉન્ડેશનને સહયોગ મળ્યો હતો. વી કેર હેલ્થ સેન્ટર દ્વારા અલગ- અલગ રોગ, તપાસ અને સારવાર અંગે માર્ગદર્શન સાથે જાગૃતિ કાર્યો કર્યા હતા. આ શિબિરના આયોજનનો પ્રાથમિક ઉદ્દેશ સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ અને ઉપચાર પર કામ કરવાનો રહ્યો છે. બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓને આરોગ્યસંભાળ સુવિધા મળી રહે અને સાથે જ ઘરઆંગણે મૂળભૂત સ્ક્રીનિંગ સુવિધા મળી અને લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થાય એ હતો.