Published By : Parul Patel
આમતો વૈભવી લગ્ન પ્રસંગોમાં મોંઘા જમણવાર યોજવામા આવે છે. પરંતું હાલ એક એવા ભોજનની ચર્ચા ચાલી રહી છે, જેમાં માનવીઓ, પશુઓ અને પંખીઓને પણ ભોજન કરાવાયું હતું.
મહારાષ્ટ્ર રાજયના બુલઢાણા જિલ્લાના કોથલી ગામના એક ખેડૂત પ્રકાશ સરોદે તેની દીકરીના લગ્ન પ્રસંગે ભોજન સભારંભમાં દરેક જીવમાં શિવ એ ધોરણે દરેકને જમાડ્યા હતા. જેમકે ગાયને ખોળ, ઓઇલ કેક અને ટ્રેકટરો ભરીને સૂકો ચારો મંગાવી ખવડાવવામાં આવ્યો. શ્વાનને રોટલા આપવામાં આવ્યાં, તેમજ કીડીઓને કોથળા ભરી ભરી ને સાકર ખવડાવવામાં આવી. પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું. સાથે ગામે ગામના લોકોને પણ જમાડવામાં આવ્યાં હતાં. આ જમણવાર અંગે આજે પણ ચર્ચા ચાલી રહી છે.