પીઢ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનને લઈને મીડિયામાં ચાલી રહેલા સમાચારોને તેમની પુત્રીએ નકારી કાઢ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે વિક્રમ ગોખલેની પુત્રીએ પુષ્ટિ કરી છે, ‘અભિનેતા વિક્રમ ગોખલેની સ્થિતિ હજુ પણ નાજુક છે, તેમનું નિધન થયું નથી. તેમના સાજા થવા માટે પ્રાર્થના કરો.
માહિતી અમુસાર આ પહેલા બુધવારે મોડી સાંજે હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ ગયા હતા. જેના પર તેમની પત્ની વૃષાલી ગોખલેએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે હજી જીવિત છે. અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત બગડતાં તેમને અહીંની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેની હાલત અત્યંત ગંભીર છે.