Published By:-Bhavika Sasiya
- મુસાફરોને પડતી હાલાંકી મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં, આપ્યો નિયમિત નાઈટ પેટ્રોલિંગનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી છે અને સાથેજ અમદાવાદ પોલીસ કમિશનરે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે..અમદાવાદ પોલીસકર્મીઓના તોડકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે, પોલીસ કોસ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન વર્દી પહેરવી ફરજિયાત છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ પોલીસ કમિશનરોએ વાહન ચેકિંગના પોઈન્ટ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા રોડ ઉપર આવેલા પોઈન્ટ તેમજ ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારમાં જવા અંગેના એસ.પી રિંગ રોડ, એસ.જી હાઈવે, રિવરફ્રન્ટ, આશ્રમ રોડ વગેરે રોડ ઉપર આવેલ પોલીસ પોઈન્ટ, હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીઓને અચૂક ચેક કરવા અને વાહન ચેકિંગ દરમિયાન વિદેશ પ્રવાસથી આવેલા નાગરિકો સાથે સભ્યતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે અંગે જરૂરી બ્રિફિંગ કરવુ હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીઓને અચૂક ચેક કરવાની સૂચના
આ ઉપરાંત માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જોએ પો.સ્ટે ખાતે રોલ કોલ રાખી તમામ પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ જવાનો નાગરિકો સાથે સભ્ય વર્તન રાખે તે સારુ કડક સૂચના આપવી. સાથે જ નાઈટ રાઉન્ડ ફરજ દરમિયાન તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનો નિયત યુનિફોર્મમાં પોતાની નેઈમ પ્લેટ સાથે જ હોવા જોઈએ. તો કોઈ નિયમોનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરાશે.અત્રે ઉલ્લેખીય છે કે, અમદાવાદ એરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર્યુ હતું. સરકારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલ બુથના CCTVમાં પુરાવા મળ્યા છે. જેથી 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.