Published by : Rana Kajal
અમરનાથ યાત્રાની શરૂઆત આવનાર તા.1 જુલાઇથી થનાર છે. ત્યારે દર વર્ષે અમરનાથ યાત્રાના દિવસો ઓછા હોવાના કારણે ભક્તોની ભીડ વધુ રહે છે. પરંતુ આ વર્ષે અમરનાથના ભક્તોને યાત્રાના દિવસો વધુ હોવાના કારણે યાત્રાળુઓની ભીડ વીતેલા વર્ષો ઓછી રહે તેવી સંભાવના છે. આમ તો સમગ્ર દેશમાંથી ખુબ મોટી સંખ્યામાં ભક્તો અમરનાથની યાત્રાએ જતા હોય છે માત્ર ગુજરાતના યાત્રાળુઓની સંખ્યા જોતા સરેરાશ આશરે 25 હજાર યાત્રાળુઓ અમરનાથની યાત્રા કરે છે દર વર્ષે 40 થી 42 દિવસની અમરનાથ યાત્રા હોય છે. તેથી ભીડ વધે છે. પરંતુ આ વર્ષે અમરનાથ યાત્રા 61 દિવસની હોય વધુ સંખ્યામા ભક્તો યાત્રા કરે એવું મનાઈ રહ્યુ છે સાથે જ યાત્રાના દિવસો વધુ હોવાથી ભીડ પણ ઓછી થશે એમ મનાઈ રહ્યું છે. આ વર્ષે આગામી તા.1 જુલાઈથી યાત્રાનો પ્રારંભ થશે અને યાત્રાની સમાપ્તિ તા. 31 ઑગસ્ટના રોજ પુર્ણ થશે. આમ અમરનાથ યાત્રા આ વર્ષે 61દિવસ ચાલશે અને તેથી જ ગુજરાત માંથી 50 હજાર કરતા વધુ યાત્રાળુઓ બાબા અમરનાથના દર્શન કરે તેવી સંભાવના છે




