મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રે કેન્દ્રીય મંત્રી રૂપાલાના ઇશ્વરિયા ગામમાં સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાસની રમઝટ બોલાવી જેમાં તેમની સંગાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા સજોડે રાસની રમઝટ બોલાવી હતી. રાસ રમતા રૂપાલા-સંઘાણી પર ચલણી નોટોનો વરસાદ પણ થયો હતો. ભજન, લોકગીત અને શિવરાત્રી મહોત્સવમાં રૂપાલા અને સંઘાણીએ પોતાના પ્રોટોકોલને બાજુ પર મુકી અનોખી રીતે આ તહેવાર મનાવ્યો હતો.