Published by : Rana Kajal
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં નફરતની હાર થઈ છે. કોંગ્રેસે ભાજપને હાર નથી આંપી પરંતું ભાજપનો સફાયો કર્યો છે. અમેરિકાનો પ્રવાસ કરી રહેલા રાહુલ ગાંધીએ મેનહટન માં ઍક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં ભાજપ પાસે મિડીયા, એજન્સીઓ અને કોંગ્રેસ કરતા અનેક ગણો પૈસો હતો તેમ છતાં કોંગ્રેસે ભાજપનો કર્ણાટકમાં સફાયો કર્યો. વધુમા તેમણે એમ પણ જણાવ્યું કે કર્ણાટકના લોકો એ નફરતને જાકારો આપ્યો અને પ્રેમને આવકાર આપ્યો આવનાર તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં પણ જેતે રાજ્યની જનતા ભાજપને જાકારો આપશે તે નક્કી બાબત છે.આવનાર આ ચૂંટણીઓમા કોંગ્રેસ ફરી એકવાર ભાજપનો સફાયો કરશે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે