Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઅયોધ્યા રામ મંદિરમા રામલલાની સાથે-સાથે આ દેવી-દેવતાઓના પણ દર્શન કરી શકાશે…

અયોધ્યા રામ મંદિરમા રામલલાની સાથે-સાથે આ દેવી-દેવતાઓના પણ દર્શન કરી શકાશે…

Published by : Anu Shukla

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. આગામી 12 મહિનામાં ભગવાન રામને મૂળ ગર્ભગૃહમાં બિરાજમાન પણ કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો રામ જન્મભૂમિ પરિસર પહોંચનાર લાખો ભક્તોને ભગવાન રામલલાની સાથે 15 દેવી-દેવતાઓ તેમજ ઋષિ મુનિઓના પણ દર્શન પ્રાપ્ત થશે.

રામ મંદિર ટ્રસ્ટનો દાવો છે કે પરિસરમાં રામ મંદિરની સાથે પરકોટેમાં અને પરકોટેની બહાર 9 મંદિરોને બનાવવામાં આવશે. આ સાથે જ ગર્ભગૃહમાં બિરાજમાન થનારા ભગવાન રામલલાની સાથે ધનુષ, બાણ અને મુગટ પણ હશે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિર નિર્માણ સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરી છે. રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં અમુક વાતો પર સંમતિ બની છે કે બાળક રામની પ્રતિમા હોવી જોઈએ. તેમની ઉંમર 2 વર્ષથી 5 વર્ષ સુધી હોઈ શકે છે. આ એક સામાન્ય સંમતિ બની. જેમાં બાળસ્વરૂપની કોમળતા હોવી જોઈએ. શરીરમાં, આંખોમાં, ચેહરામાં આંગળીઓમાં બાળ સુલભ કોમળતા જોઈએ જેની પર પણ તમામ લોકો એકમત રહ્યા.

બાળક હોવા છતાં પણ રામની ઓળખ ધનુષ અને તીર દ્વારા છે તેથી ધનુષ, એક નાનુ તીર અને રાજાના પુત્ર છે તો માથે મૂકવા માટે મુગટ પણ હોવો જોઈએ. તેથી જો મૂર્તિ પથ્થરની બની રહી છે તો તેની સાથે તીર, ધનુષ અલગથી મૂકવામાં આવશે જેની પર સંમતિ બની છે.

પરકોટાનું નિર્માણ લગભગ અંતિમ તબક્કામાં છે. પરકોટેમાં 6 મંદિર ભગવાન સૂર્ય, માતા ભગવતી, ભગવાન ગણપતિ, ભગવાન શંકર, ભગવાન હનુમાન અને અન્નપૂર્ણા દેવીનું મંદિર બનશે. જેની પર તમામની સંમતિ થઈ ગઈ છે. જે બાદ પણ પરકોટેની બહાર મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદ રાજ, શબરી, અહલ્યા અને જટાયુની સાથે રામના સખા સુગ્રીવ જેમને સમગ્ર જીવન દરમિયાન રામે સખા કહ્યા છે.

આ ભલામણ ટ્રસ્ટના સભ્યો દ્વારા આવી છે જેની પર વાસ્તુકાર આર્કિટેક્ટને કહેવામાં આવ્યુ છે કે આ મંદિરોને કયા સ્થળો પર સન્માનપૂર્વક સ્થાપિત કરી શકાય છે જેની પર વાસ્તુકાર વિચાર કરશે. મંદિર પરિસરમાં વિભિન્ન પ્રકારની મૂર્તિઓ બનેલી છે. મંદિરના સ્તંભોમાં લગભગ 6000 કરતા વધારે પ્રતિમાઓ બનાવવામાં આવશે. મંદિરની દિવાલોમાં પણ પ્રતિમાઓ બનશે. આ સાથે જ લોઅર પ્લિંથ પર રામના જીવનના 100 પ્રસંગોની મૂર્તિઓની પથ્થરોમાં કોતરણી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!