Published By : Parul Patel
ભરૂચની “મન મૈત્રી સેવા ફાઉન્ડેશન”, ભરૂચ ના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ તથા હિનાબેન જયેશભાઈ પરીખ દ્વારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે દાતા સૂર્યપ્રકાશ સેજવાણી દ્વારા વસ્ત્ર દાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં મન મૈત્રી સેવા ફાઉન્ડેશન અબોલ જીવો માટે કાર્ય કરી રહેલ સંસ્થા તરફથી સંસ્થાનાં માનદ સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુલમની કુલ 110 દિકરીઓને વસ્ત્ર દાન કરવામાં આવ્યું હતું, તથા મનો દિવ્યાંગ બાળકોને કલર ક્રાફટ માટેની બુકનું વિતરણ કર્યું હતું…જયેશભાઈ પરીખ તથા દાતા સૂર્યપ્રકાશભાઈએ સંસ્થાનાં કાર્યોને બિરદાવ્યા હતા. અસ્મિતા સંસ્થાનાં સેક્રેટરી પ્રણવભાઈ ભટ્ટએ સંસ્થાનાં કાર્યોની માહિતી આપી હતી. “મન મૈત્રી સેવા” સંસ્થાને તેના કાર્યો બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.