સરકાર દ્વારા એરલાઈન્સને જારી કરવામાં આવેલી સૂચનાઓ અનુસાર, તેઓએ 1 જાન્યુઆરી, 2023 થી આ દેશોમાંથી મુસાફરી કરતા હવાઈ મુસાફરો માટે ચેક-ઈન નિયમોમાં સુધારો કરાયો છે. 1 જાન્યુઆરી, 2023 એટલે કે આજથી, ચીન, સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવતા હવાઈ મુસાફરો માટે ‘નેગેટિવ’ RT-PCR રિપોર્ટ ફરજિયાત રહેશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 30 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા ભારતમાં આવતા મુસાફરો માટે સંશોધિત કોરોના માર્ગદર્શિકા જારી કરી છે. માર્ગદર્શિકા મુજબ RT-PCR રિપોર્ટ મુસાફરીની શરૂઆતના 72 કલાકની અંદર હોવો જોઈએ. દરેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા બે ટકા મુસાફરોનું રેન્ડમ ચેકિંગ પણ ચાલુ રહેશે. કોરોનાની રેન્ડમ તપાસમાં અત્યાર સુધીમાં 53 કેસ નોંધાયા છે. વિશ્વના વિવિધ ભાગોમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.