- મુંબઈની બેઠક માં 15 દેશ મળીને ડાર્ક વેબ અને ટેરર વિરુદ્ધની રણનીતિ ઘડશે…
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) કાઉન્ટર ટેરરિઝમ કમિટીની મહત્વપૂર્ણ બેઠક ઓકટોબર મહિનાના અંતમાં ભારતમાં યોજાવા જઈ રહી છે. બેઠકની શરૂઆત તા 28 ઓક્ટોબરના રોજ મુંબઈમાં થશે, જ્યારે તેનું પૂર્ણ અધિવેશન આગામી 29 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં થશે. કમિટીમાં સામેલ 15 દેશ ઈન્ટરનેટ, ડાર્ક વેબ અને ટેક્નોલોજીનો આતંકી ઉપયોગ વિરુદ્ધ રણનીતિ બનાવશે. જેને ખુબ મહત્વ અપાઈ રહ્યુ છે. આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે ડાર્ક વેબ અને ઈન્ટરનેટથી આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનનું નામ ઘણી ઘટનાઓમાં સામે આવ્યુ છે. ભારત તેના ત્યાં યોજાનારી બેઠકથી પોતાના પક્ષમાં કોઈ ખરડો પસાર કરાવવામાં સફળ થઈ શકે છે. ભારતે તેના માટે કૂટનીતિક તૈયારીઓ પણ કરી લીધી છે. સાત વર્ષ પછી આ પ્રથમ અવસર છે, જ્યારે સુરક્ષા પરિષદની આ સમિતિ ન્યૂર્યોક મુખ્યાલય બહાર યોજાવા જઈ રહી છે.જ્યાં પાક. આતંકવાદીઓએ 26/11 હુમલો કર્યો હતો તે મુંબઈની તાજ હોટેલમાં સંયુક્ત રાષ્ટ્ર કાઉન્ટર ટેરરિઝમ કમિટીની બેઠક યોજાશે. કમિટીના ચેરપર્સન રુચિરા કંબોઝનું કહેવું છે કે આ બેઠક આતંકવાદના કારણે માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલી હશે.