Published By:-Bhavika Sasiya
- દેશના ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે સાથેજ કાવડ યાત્રાની પણ શરૂઆત થઈ ચૂકી છે.
અધિકમાસના લીધે કાવડિયાઓને પણ યાત્રા કરવા માટે વધુ સમય મળશે અત્રે નોંધવું રહ્યું કે શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળ અથવાતો પવિત્ર નદીઓના જળ પોતાના ખભે લઈને જ્યોતિર્લિંગો અથવાતો પવિત્ર ભોલે ના મંદિરો ખાતે લઈ જઇ ભગવાન ભોલેનો અભિષેક કરે છે.

ભગવાન પરશુરામે શિવજીને પ્રસન્ન કરવા કાડવ યાત્રાની શરૂઆત કરી હતી. ઍવી માન્યતા છે શ્રાવણ મહિનો નજીક આવતા જ ભોલેનાથના ભક્તો શિવભક્તિમાં લીન થવા લાગે છે. ગુજરાતમાં શ્રાવણ માસના પ્રારંભને હજુ વાર છે. પરંતુ, ઉત્તર ભારતમાં શ્રાવણ માસ આજે એટલે કે 4 જુલાઈથી શરૂ થઇ ગયો છે.સાથે સાથે આજે મંગળા ગૌરીનું વ્રત પણ કરવામાં આવશે. અધિકમાસના કારણે આ વખતે શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ માસ બે મહિના ચાલશે. અધિકમાસના લીધે કાવડિયાઓને પણ યાત્રા કરવા માટે વધુ સમય મળશે. અધિકમાસના સ્વામી ભગવાન વિષ્ણુ છે અને શ્રાવણ મહિનાના સ્વામી ભગવાન શિવ છે, તેથી આ વખતે શ્રદ્ધાળુઓને શ્રાવણમાં ભગવાન વિષ્ણુ અને શિવ બંનેની કૃપા પ્રાપ્ત થશે.

કાવડ યાત્રાનો પ્રારંભ 4 જુલાઇથી થઇ ચૂક્યો છે અને તે શ્રાવણની શિવરાત્રિ સુધી ચાલશે. જો કોઇ વ્યક્તિ વ્યક્તિગત રીતે કાવડ લાવવા ઇચ્છે તો તે શ્રાવણ માસમાં લાવી શકે છ કાવડ યાત્રા એટલે ખભા ઉપર લાકડી કે વાંસ રાખીને તેના બન્ને છેડે જોળી બનાવી તેમા માટલી મુકીએ તેને કાવડ કહેવાય. જે રીતે શ્રવણ કુમારે તેના અંઘ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવી હતી. તે કાવડ યાત્રા હતી. શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને અથવાતો કોઈ પણ પવિત્ર નદીનાં જળને પોતાના ખભા પર લઈને જ્યોતિર્લિંગો સુધી પહોંચે છે અને તે શિવજીને અર્પણ કરે છે. ઉલ્લેખનીય છે કે યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર રાખતા નથી. કાવડને ઉંચકનારા કાવડિયા તરીકે ઓળખાય છે. મોટાભાગના કાવડિયાઓ કેસરી રંગના કપડાં પહેરે છે. તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જેવાં તીર્થ સ્થળોથી ગંગાજળ ભરે છે. આ પછી, તેઓ પગપાળા પ્રવાસ કરીને જળ શિવલિંગ પર ચઢાવે છે. એમ કહેવાય છે કે ભગવાન પરશુરામે કરી કાવડ યાત્રાની શરૂઆત કરી હતી.