Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઆજે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરવાઇ....

આજે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરવાઇ….

  • અકસ્માતો ટાળવા માટે લેવાયો હતો નિર્ણય

ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી અને  સલામતી બક્ષવા ભરૂચ પાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વે તમામ શહેરીજનો માટે સીટી બસમાં નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી હતી. આજે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં સ્થાનિક ભરૂચના નગરજનોએ મફત મુસાફરી કરી હતી. ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગાસંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોએ આ સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરી કરી હતી અને શહેરીજનોએ વધુમાં વધુ સિટીબસનો ઉપયોગ કર્યો હતો. મકરસંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા અને  અકસ્માતનો ભોગ બન્યા વિના સલામતીથી પર્વની ઉજવણી કરી હતી અને લોકોની અવરજવર પણ વધી હતી. મોપેડ, બાઇક ઉપર જતા-આવતા વાહનચાલકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લીધો હતો અને આ તહેવારની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!