Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઆભા કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી...

આભા કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી…

Published by : Rana Kajal

ભરૂચ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા,ભરૂચ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર & હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા આભા કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

જીલ્લા પંચાયત આરોગ્ય શાખા,ભરૂચ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર & હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા આભા કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં આભા કાર્ડ કરાવનાર વ્યક્તિએ આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ ફોન અને આધાર કાર્ડ લઈને આરોગ્ય સેન્ટર પર આભા કાર્ડ કાઢનાર કર્મચારીને મળવાનું રહેશે. જેથી આરોગ્ય કેન્દ્ર ઉપર આભા કાર્ડ કાઢનાર કર્મચારી નેશનલ હેલ્થ ઓથોરિટીની લિંક અથવા એપ્લિકેશન માં આધાર કાર્ડનો નંબર નાખતાં આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર ઉપર uidai આઘારમાંથી એક otp આવશે જે નેશનલ હેલ્થ એન્ડ ઓથોરિટીની લિંક કે એપ્લિકેશનમાં નાખતાં અને captch માં પૂછેલ પ્રશ્નનો સાચો જવાબ નાખતાં તમારા મોબાઈલ પર આભા કાર્ડ ડાઉનલોડ થઈને આવી જશે.જેની તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે.આભા કાર્ડ સ્માર્ટ ફોનમાં ઈન્ટરનેટની મદદ વડે મોબાઈલ નંબર સાથે લિંક થયેલ આધાર કાર્ડનો નંબર નાંખવાથી ઘરે બેઠા પણ બનાવી શકાય છે.આભા કાર્ડ દરેક વ્યક્તિ કઢાવી શકે છે.

આભા કાર્ડ કઢાવવા ફાયદા એ છે કે સારવાર માટે દરેક જગ્યાએ રિપોર્ટ કે સ્લીપ સાથે રાખવાની જરૂર પડશે નહીં.આભા કાર્ડમાં વ્યક્તિના બ્લડ ગ્રુપ, રોગ અથવા સમસ્યા, દવા અને ડોક્ટરને લાગતી તમામ માહિતી હશે.આભા કાર્ડમાં વ્યક્તિને લાગતા તમામ મેડિકલ રેકોર્ડ જેવા કે લેબ રિપોર્ટ, ડોક્ટરે લખેલી દવાની પ્રિસ્ક્રીપશન અને નિદાનને લાગતી તમામ માહિતી હશે.આભા કાર્ડમાં ઓનલાઇન સારવાર, ટેલીમેડીસીન, ખાનગી ડોક્ટર, ઈ-ફાર્મસી અને પર્સનલ હેલ્થ રેકોર્ડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ સાંકળવામાં આવી હોવાથી વ્યક્તિને વિમાનો લાભ પણ મળી શકશે.આભા કાર્ડમાંથી હોસ્પિટલો, ક્લિનિક્સ અને વીમા કંપનીઓને મેડિકલ રેકોર્ડ સરળતાથી મોકલી શકાય છે.

આભા કાર્ડ જીલ્લા પંચાયતની દરેક આરોગ્ય શાખામાંથી ભરૂચ શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી તથા હેલ્થ એન્ડ વેલનેસના દરેક સેન્ટર ઉપરથી સવારના ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૫:૩૦ વાગ્યા સુધી વિના મૂલ્યે કાઢી આપવામાં આવશે.જેનો ભરૂચ શહેરની પ્રજાને લાભ લેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!