Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealthઆયુર્વેદિક દ્વષ્ટિએ ઉત્તમ ધાતુ ચાંદી ! જાણો તેના અનહદ ફાયદાઓ વિશે…

આયુર્વેદિક દ્વષ્ટિએ ઉત્તમ ધાતુ ચાંદી ! જાણો તેના અનહદ ફાયદાઓ વિશે…

Published By : Disha PJB

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગળામાં ચાંદીની ચેન પહેરવામાં આવે તો તેનાથી હોર્મોન્સ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તે વ્યક્તિને રોમેન્ટિક બનાવે છે અને વ્યક્તિને વિવાહિત જીવનમાં ખૂબ સારા પરિણામો મળે છે. પરંતુ જેમને શરદી અને ફ્લૂ થવાની સંભાવના વધુ હોય તેઓએ તેમના ગળામાં ચાંદી પહેરવાનું ટાળવું જોઈએ.

શુદ્ધ ચાંદીના કડા પહેરવાથી વાત, પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે અને વ્યક્તિ જલ્દી બીમાર થતો નથી. જો તમે તમારા ખિસ્સામાં ચાંદીનો ચોરસ ટુકડો રાખો છો, તો જીવનમાં પ્રગતિ શરૂ થાય છે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં રાખવાથી કર્મના દોષ દૂર થાય છે અને વ્યક્તિને તેના કર્મોનું શુભ ફળ મળવા લાગે છે. – ચાંદીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે અને શુક્ર તમામ ભૌતિક સુખ, સમૃદ્ધિ, રોમાંસનો કારક છે.

આયુર્વેદ મુજબ મનુષ્યનું માથું ઠંડુ અને પગ ગરમ રહેવા જોઈએ. માથા પર સોના અને પગમાં ચાંદી પહેરવાથી માથામાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા પગમાં અને ચાંદીથી ઉત્પન્ન થયેલી ઠંડક માથા સુધી જાય છે. જેનાથી માથું ઠંડુ અને પગ ગરમ રહે છે. 

પગમાં ચાંદી પહેરવાથી અનેક બીમારીઓથી બચી શકાય એવું કહેવાય છે. ચાંદીના સાંકળા કે વિંછીયા એક્યુપ્રેશરનું કામ પણ કરે છે. તેને પહેરવાથી પીઠ, એડી, ઘૂંટણના દુખાવા અને હિસ્ટીરિયાના રોગમાં રાહત મળે છે. પાયલ, સાંકળા કે ઝાંઝરા ચાંદીના જ હોવા જોઈએ કારણ કે તે હંમેશા પગ સાથે ઘસાતા રહે છે જે મહિલાઓના હાડકા માટે ખુબ ફાયદાકારક છે. તેનાથી મહિલાઓના પગના હાડકાને મજબૂતાઈ મળે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!