Published by : Rana Kajal
NCB ની વિજિલન્સ ટીમે વિવિઘ પુરાવાઓના આધારે તૈયાર કરેલ રિપોર્ટ માં સ્પષ્ટ જણાવ્યુ હતું કે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ કેસમા ફસાવવામાં આવ્યો હતો… NCB એ નોંધ્યું છે કે આર્યનની… પાપા હું એનસીબીની કસ્ટડીમાં છું… પ્લીઝ હેલ્પ મી… આવો આર્યનનો ઓડિયો રેકોર્ડિંગ સાથેની આર્યન ખાનની સેલ્ફી શાહરૂખ ખાનને મોકલી આપ્યો હતો.. જૉકે સેનલવ ડિસોઝા ને એલએસડી ડ્રગના બે કેસમા એનસીબી ટીમે પકડી લીધો હતો. જેની તપાસ સમીર વાનખેડે કરી રહયો હતો. સૂત્રોના જણાવ્યાં અનુસાર તે વખતે રૂ 10 લાખની લાંચ લેવામાં આવી હતી.આ લાંચ ખુદ સમીરે લીઘી હતી. ત્યારબાદ સમીર વાનખેડે અને ડિસોઝા ખુબ નજીક આવી ગયા હતા. ડિસોઝા ઇન્ફોર્મર બની ગયો હતો. કૃઝ પર યોજવામા આવેલી પાર્ટી અંગે ગુજરાતના કોઇ પાટિલે બાતમી આપી હતી. ત્યાર બાદ રેડની યોજના બનાવવામાં આવી હતી. જેમા આર્યન ખાન અંગે કોઇપણ ઉલ્લેખ ન હતો. પરંતું જેવો આર્યન ખાન મિત્રો સાથે કૃઝ પર પહોચ્યો કે તરતજ તેને ડ્રગ કેસમા સામેલ કરવામાં આવ્યો હતો. આમ ડ્રગકાંડમાં આર્યન ખાનને ટારગેટ બનાવવામાં આવ્યો હતો.