Published by : Rana Kajal
આર ઓ સિસ્ટમ પાણીનું શુદ્ધિકરણ માટે મહત્ત્વનુ હોવાથી તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ બરોડા મેડીકલ કોલેજના સંશોધન મુજબ આર.ઓ. ના પાણીના કારણે વિટામિન બી- 12 ની ઉણપ સર્જાવાની શક્યતા વધી જાય છે તેવું જણાયું છે. બરોડા મેડીકલ કોલેજના સંશોધકોના સંશોધનોનુ તારણ એવુ આવેલ છે કે આર. ઓ. સિસ્ટમના કારણે પાણીમા બી -12ની ઉણપ સર્જાઈ શકે છે. બી -12 ની ઉણપના કારણે માનવીની ત્વચા કાળી પડી શકે છે તેમજ માનવીના રક્તકણો અને મગજની સિસ્ટમ પર અસર પડી શકે છે. આર. ઓ. સિસ્ટમના પાણી અંગે બે અલગ અલગ ગ્રુપના 320 કરતા વધુ તબીબોએ ચકાસણી કરી તારણો કાઢ્યા હતા.