Published by : Rana Kajal
- જોકે માત્ર નોર્મલ કેસના અરજદારો લાભ લઈ શકશે…
આવનાર શનિવાર તા.29 એપ્રિલના રોજ રાજ્યની પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે. જૉકે શનિવારે માત્ર નોર્મલ કેસ અને તત્કાલ કેટેગરીના અરજદારો જ લાભ લઈ શકશે… ગુજરાત રીજીનીયલ પાસપોર્ટ ઓફિસ RPO દ્વારા હાલના દિવસોમાં રોજના સરેરાશ 3 હજાર કરતા વધારે અરજદારોને એપોઇમેંટ આપવામાં આવે છે. આમ છતાં અરજદારોની સંખ્યા સતત વધી રહી છે. આજ કારણોસર વિદેશ મંત્રાલય દ્વારા તા 29 એપ્રિલના શનિવારે પાસપોર્ટ ઓફિસ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૉકે શનિવારે માત્ર નોર્મલ કેસ તેમજ તત્કાલ કેટેગરીના અરજદારો લાભ લઈ શકશે એમ જણાવવામાં આવ્યું છે. વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોઇએ એપોઈમેંટ લઈ લીધી છે. અને તેમને તેમને મોડી એપોઈમેંટ મળી છે તેઓ પણ શનિવાર માટે પોતાની એપોઇન્ટમેન્ટ રીશિડ્યુલ કરાવી શકશે એમ જણાવવામાં આવ્યું છે.