Home News Update Nation Update આશ્ચર્ય જનક…પરંતું હકીકત….દેશમાં સતત ઘટી રહ્યા છે મોબાઈલ યૂઝર્સ…

આશ્ચર્ય જનક…પરંતું હકીકત….દેશમાં સતત ઘટી રહ્યા છે મોબાઈલ યૂઝર્સ…

0
  • છેલ્લા બે મહિનામાં 54.77 લાખ લોકોએ મોબાઈલથી અંતર બનાવ્યું…

ભારત દેશમાં મોબાઈલ યૂઝર્સની સંખ્યા નિરંતર ઘટી રહી છે. છેલ્લા 2 મહિનામાં 54.77 લાખ લોકોએ મોબાઈલથી અંતર બનાવી લીધુ હતુ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) મુજબ ઓક્ટોબર-2022માં સમગ્ર દેશમાં મોબાઈલ યૂઝર્સની સંખ્યા 114.36 કરોડ થઈ ગઈ છે. જો કે, ઓગસ્ટ મહિનામાં લગભગ 114.91 કરોડ મોબાઈલ યૂઝર્સ હતા. સપ્ટેમ્બર મહિનામાં મોબાઈલ યૂઝર્સની સંખ્યા 36.64 લાખથી ઘટીને 114.54 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્ટોબર મહિનામાં 18.13 લાખ મોબાઈલ યૂઝર્સ ઘટ્યા છે . જૉકે દેશમાં 20,980 5G સ્ટેશન લગાવવામાં આવેલા છે 5G સર્વિસની તો દેશનાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 26 નવેમ્બર સુધીમાં 20,980 બેઝ સ્ટેશન લાગી ચૂક્યા છે. સંચાર રાજ્યમંત્રી દેવૂસિંહ ચૌહાણે રાજ્યસભામાં શુક્રવારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, દેશમાં દર અઠવાડિયે 5Gનાં લગભગ 2500 નવા ટાવર લગાવવામાં આવી રહ્યા છે.

સૌથી વધુ દિલ્હીમાં 5829 5G ટાવર લાગી ચૂક્યા છે. દિલ્હીમાં 938 5G ટાવર એરટેલે લગાવ્યા છે તો રિલાયન્સ જિયોએ 4891 ટાવર લગાવ્યા છે. હજુ સુધી આઈડિયા-વોડાફોને 5G માટે એકપણ ટાવર લગાવ્યો નથી. દિલ્હી પછી સૌથી વધુ ટાવર મહારાષ્ટ્રમાં લગાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 4051 5G ટાવર લગાવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને જોઈને એવું કહી શકાય કે, ફક્ત એરટેલ અને રિલાયન્સ જિયોનાં ગ્રાહકોમાં વૃદ્ધિ થશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version