અત્યાર સુધી દેશના 16 શહેરોમાં ડિસેમ્બરમાં સરેરાશ લઘુતમ તાપમાન 11 ડિગ્રી સે…દેશમા ઋતુચક્ર બદલાઈ રહ્યુ છે. ત્યારે વર્ષ 2022માં દેશમા શિયાળાની મોસમ પણ મોડેથી શરૂ થઈ છે. આમ થવા પાછળના અનેક કારણો જણાયા છે..આ વર્ષે ઉત્તરથી દક્ષિણ ભારત સુધીનાં 16 શહેરોમાં મુંબઇ સૌથી ગરમ શહેર જણાયું છે તે સાથે વર્ષ 1901 બાદ સૌથી ગરમ નવેમ્બરનો પણ રેકોર્ડ નોંધાયો છે..
તેમ છતાં હવે આખરે ઠંડીની શરૂઆત થઇ જ ગઇ, પરંતુ આ વખતે ઠંડીની શરૂઆતમાં વિલંબ થયો છે. હકીકતમાં દેશમાં ઠંડીનાં ત્રણ તબક્કા હોય છે, જેમકે પ્રી-પીક વિન્ટર (20 નવેમ્બરથી 20 ડિસેમ્બર), પીક વિન્ટર (21મી ડિસેમ્બરથી 20મી જાન્યુઆરી) અને પોસ્ટ-પીક વિન્ટર (21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી). આ વખતે નવેમ્બરમાં દેશભરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.34 ડિગ્રી, મહત્તમ તાપમાન 0.29 ડિગ્રી તેમજ સરેરાશ તાપમાન 0.31 ડિગ્રી રહ્યુ હતુ.
અત્યાર સુધી ડિસેમ્બરનાં 26 દિવસમાંથી 23 દિવસ દેશમાં સરેરાશ લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહ્યં હતુ. આ મહિને મહત્તમ સરેરાશ તાપમાન પણ 28 ડિગ્રીથી નીચે આવ્યુ ન હતુ. 14 દિવસ સરેરાશ કરતા વધારે તાપમાન નોંધાયુ હતુ. દિવસમાં પારો 2-7 ડિગ્રી સુધી વધારે રહ્યો હતો. દિલ્હીમાં 25મી ડિસેમ્બરે આ સિઝનની સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. એ દિવસે લઘુત્તમ તાપમાન છ ડિગ્રી રહ્યુ હતુ. જો કે મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયુ હતુ. જે સામાન્ય કરતા વધારે હતુ.
બીજી બાજુ ડિસેમ્બરમાં દેશનાં 16 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહ્યુ હતુ. આ શહેરો માં નવી દિલ્હી, જયપુર. ભોપાલ, મુંબઇ, અમદાવાદ, રાંચી, પટણા, રાયપુર, ચંદીગઢ, ભુવનેશ્વર, કોલક્તા, દેહરાદુન, શ્રીનગર, બેંગ્લુરુ, લખનૌ અને ચૈન્નાઇ. જેવા શહેરોનો સમાવેશ થાય છે..
ત્રણ એવા મોટા કારણ, જેના કારણે આ સિઝનમાં ઠંડીમાં મોડી આવી
1. એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન : સમગ્ર દેશમાં જે મોનસુન 15મી ઓક્ટોબરે વિદાય લે છે , તે મોનસૂનની સ્થિતિ આ વખતે 23મી ઓક્ટોબર સુધી રહી. ત્યારબાદ પશ્ચિમી હિસ્સામાં એન્ટી સાયક્લોનિક સર્કયુલેશનની સ્થિતિ સર્જાવવા લાગી. જેમા ગરમ પવનો નીચા આવે છે. જેમાં નમી હોતી નથી. આના કારણે ગરમી વધે છે. આને જવામાં મહિનાઓ લાગે છે.
2. લા- નીનાની અસર : આના કારણે સરેરાશથી ઓછો વરસાદ થયો અને સરેરાશ કરતા વધારે તાપમાન રહ્યુ. 15મી ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન તેમજ દિલ્હીમાં ગરમીની સ્થિતિ રહી હતી.
3. વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સની સ્થિતિ મજબૂત પડી : એમ તો ડિસેમ્બરના મધ્ય સુધી મજબૂત બને છે. પરંતુ આ વખતે આર્કટિક ઓસિલેશનના કારણે તેની નબળી સ્થિતિ યથાવત્ રહી છે.
સાથેજ ત્રણ મોટી અસર થઈ છે, જે દેશમાં ઋતુચક્ર ખોરવી શકે એમ છે જેમકે
1. રવિ પાકને અસર : ઘઉં, સરસવ અને ચણાનાં પાક પર માઠી અસર થાય તેવી આશંકા છે. આ પાકોને 48 કરતા વધારે કલાક સુધી સતત ઓછા તાપમાનની જરૂર હોય છે. આવુ ન થવાની સ્થિતિમાં તેનુ ઉત્પાદન ઘટી શકે છે. પાક બગડી શકે છે.
2. કુદરતી હોનારતોનો ખતરો : 2021માં ભારતમાં સૌથી વધારે 19 કુદરતી હોનારતો આવી હતી. કુદરતી હોનારતોનો સામનો કરનાર દેશોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને રહેતા તેની ચર્ચા રહી હતી. ઠંડી
નાની અને ગરમી લાંબી હોવાથી પૂરની ઘટનાઓ વધારે બની.
3. વૃક્ષો-છોડના વિકાસમાં અડચણો : કેટલાક વૃક્ષોમાં સમય કરતા પહેલા ફુલ આવવા લાગ્યા છે. તમામ પ્રજાતિઓને યોગ્ય સમય પર પોષણની ચીજો મળી ન હતી. જેના કારણે વિવિધ પ્રકારની વનસ્પતિઓના અસ્તિત્વ પર સંકટ સર્જાયું છે.
ચિલિંગ અવર્સ -ઘટતા સફરજનના સ્વાદ પર અસર થશે
ઉત્તરાખંડ, હિમાચ પ્રદેશ અને કાશ્મીરમાં સફરજનની મીઠાશ પર આ વખતે અસર થવાની શક્યતા છે. કારણ કે સફરજનના વૃક્ષોને જે લઘુતમ ચિલિંગ અવરની જરૂર હોય છે તે હિમવર્ષા અને વરસાદ ન થવાથી મળી શકતા નથી. ખેડૂતો મુજબ જો આગામી 10 દિવસ સુધી હિમવર્ષા નહીં થાય તો સફરજનના પાકને નુકસાન થઇ શકે છે. મોસમ વિજ્ઞાન કેન્દ્ર ઉત્તરાખંડના ડિરેક્ટર બિક્રમ સિંહે કહ્યું છે કે ડિસેમ્બર સુધી સફરજનના પટ્ટામાં હિમવર્ષા થઇ જાય છે. જો કે આ વખતે હિમવર્ષા થઇ નથી.