Published by : Rana Kajal
યુપીમાં આજથી ત્રણ દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શરૂઆત થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીમાં શરૂ થઈ રહેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. સમિટમાં લગભગ 25 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેનાથી બે કરોડ રોજગારીની નવી તકો ઉભી થવાની પણ સંભાવના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થામાં સુધારો અને બિઝનેસ કરવામાં સરળતાને કારણે યુપી નવા ભારત માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. તેમણે કહ્યું કે, રાજ્યના વિકાસ માટે ઉદ્યોગ અને સહકાર બંનેની જરૂર છે, જેને યુપી પૂરી કરી રહ્યું છે. આ પ્રસંગે તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યના ગવર્નર આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
