Published by : Rana Kajal
ઈરાનનો પ્રખ્યાત શેફ મહરશાદ શાહિદીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહયો છે. શાહિદી દેશમાં ચાલી રહેલા હિજાબ વિરોધી પ્રદર્શનનો નોંધપાત્ર ચહેરો બની ગયો હતો. આ જ કારણે સરકાર અને મોરલ પોલીસ તેના પર ખૂબ નારાજ હતી. 19 વર્ષના શાહિદીની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે હિજાબનો વિરોધ કરી રહ્યો હતો.બાદમાં પોલીસે શાહિદીનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો હતો. જૉકે
શાહિદીના પરિવારનો આક્ષેપ છે કે તેમના પુત્રની પોલીસે હત્યા કરી છે. પરિવારના કહેવા પ્રમાણે હવે પોલીસ દબાણ કરી રહી છે કે એવું જણાવો કે પુત્રનું મૃત્યુ હાર્ટ-એટેકથી થયું હતુ.