Published by : Anu Shukla
- અંબાણી પરિવાર વિશ્વમાં જાણીતો છે સાથેજ તેમની લાઇફસ્ટાઇલ પણ લોકોમાં આકર્ષણ જમાવે છે…
અંબાણી પરિવારે ભારતનું નામ ખૂબ જ રોશન કર્યું છે અને આ પરિવારની અંદર દરેક લોકો ભારે ચર્ચામાં આવે છે તેમજ મુકેશ અંબાણીની જેમ હવે તેમની પ્રોપર્ટીને તેના ત્રણ બાળકોની અંદર વહેંચી દેવાનો પણ વિચારી રહ્યા છે. ઈશા, આકાશ, અને અનંત અંબાણીને ખૂબ જ આયોજન સાથે ધંધામા દિવસોને દિવસે આગળ વધારી રહ્યા છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન પિરામિલ ગ્રુપના આનંદ પિરામલની સાથે થયા છે. 12 ડિસેમ્બર 2018 ના દિવસે આનંદની સાથે લગ્ન કરીને મુંબઈના વરલી વિસ્તારની અંદર આલીશાન મહેલ જેવા મોટા ઘરની અંદર રહેવા માટે ચાલી ગઈ હતી. લગભગ 1000 કરોડના બનેલા આ બંગલાને જોઈને બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ ખૂબ જ વધારે દંગ રહી ગઈ હતી.
મુંબઇના પોશ વિસ્તારમાં બનેલા બંગલાને વર્ષ 2012માં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી 450 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. આ સી ફેસિંગ ઘર ડાયમંડ થીમ પર બન્યું છે. આ મહેલની હાલની કિંમત 1 હજાર કરોડ રૂપિયા છે. આ બંગલો 5 માળનો છે અને 50 હજાર વર્ગફીટમાં ફેલાયેલો છે. બીજા અને ત્રીજા માળે ફ્લોર સર્વિસ અને પાર્કિંગ છે. ઉપરના ફ્લોર પર લિવિંગ અને ડાયનિંગ હોલ છે, અહીં કેટલાક રૂમ બેડરૂમ અને સર્ક્યુલર સ્ટડી રૂમ પણ બનાવવામાં આવ્યા છે.