Published by : Vanshika Gor
ઉત્તરાખંડના જોશીમઠમાં જોખમ વધતુ જઈ રહ્યુ છે. જોશીમઠની જમીન ઝડપથી ખસતી જઈ રહી છે અને આ કારણ છે કે રસ્તાથી લઈને ઘર સુધી તિરાડ પડી રહી છે. જોશીમઠ તબાહ થઈ રહ્યુ છે. આનો ખુલાસો સેટેલાઈટ તસવીરો દ્વારા થયો છે. ઈસરોએ સેટેલાઈટ તસવીર જાહેર કરી છે જેનાથી ભયાવહ સંકેત મળી રહ્યા છે. જમીન ધસવાના કારણે ઉત્તરાખંડનું જોશીમઠ સતત નીચે તરફ ખસી રહ્યુ છે. ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે સેટેલાઈટ તસવીરોના માધ્યમથી ખુલાસો કર્યો છે કે લગભગ 12 દિવસની અંદર 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરીની વચ્ચે જોશીમઠ 5.4 સેમી નીચે ધસી ગયુ છે.
જોશીમઠની આ સેટેલાઈટ તસવીર એટલા માટે ભયાવહ છે કારણ કે એનઆરએસસીએ દાવો કર્યો છે કે એપ્રિલ 2022 અને નવેમ્બર 2022ની વચ્ચે જોશીમઠમાં 9 સેન્ટિમીટરનો ધીમો ઘસારો નોંધવામાં આવ્યો હતો, પરંતુ ગયા અઠવાડિયે ડિસેમ્બર અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની વચ્ચે જોશીમઠમાં ઝડપી ભૂસ્ખલનના કારણે ઘટના શરૂ થઈ હતી અને લગભગ 12 દિવસોમાં જ પવિત્ર શહેર જોશીમઠ 5.4 સેમી ધસી ગયો. સેટેલાઈટ તસવીરો દ્વારા જાણ થાય છે કે આર્મી હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત સેન્ટ્રલ જોશીમઠમાં સબસિડેન્સ ઝોન એટલે કે ભૂસ્ખલન વિસ્તાર છે. મુખ્ય ભૂસ્ખલન ઝોન જોશીમઠ-ઔલી રોડ નજીક 2,180 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.
જોકે, જોશીમઠને ચમોલી જિલ્લા તંત્ર દ્વારા ભૂસ્ખલન વિસ્તાર જાહેર કરી દેવાયો છે કારણ કે સેંકડો ઘરમાં અમુક દિવસની અંદર તિરાડ આવી ગઈ અને પરિવારોને સ્થળાંતરિત કરવો પડ્યો કારણ કે તેમના ઘરોને જોખમી ઝોન તરીકે જાહેર આવ્યા છે સરકારે 1.5 લાખ રૂપિયાની વચગાળાની રાહત પેકેજની જાહેરાત કરી એટલે પુનર્વસન પેકેજ પર કામ થઈ રહ્યુ છે. દરમિયાન જોશીમઠમાં હવામાનનો મિજાજ પણ બગડેલો છે.